Tag Archives: ભારત

મેલુહા

કોવિડ યુગના વર્ષ ૨૦૨૧ના ડીસૅમ્બર વૅકેશનમાં વાંચનના શોખને ફરી જાગૃત કર્યો. આ વખતે પુસ્તકો પસંદ કર્યા અમિષ ત્રિપાઠીના. પ્રથમ પુસ્તક વાંચ્યુ “મેલુહા”. આ પુસ્તક ગુજરાતીમાં ઘણીવાર પુનઃમુદ્રણ પામી ચુક્યું છે. બ્રિસ્બેનના ગુજરાતી પુસ્તકાલયમાં પણ આ પુસ્તક ઉપલબ્ધ છે.

આ પુસ્તકના નાયક છે “શિવ”, દેવોના દેવ મહાદેવ? આ પુસ્તક વાંચતા પહેલા વર્તમાન ભારત દેશ તથા આસપાસના દેશોના ભુગોળનો નક્શો સમજી લેવો અત્યંત જરૂરી છે. મહાનાયકના ભારત પ્રવાસથી આ પુસ્તકની શરૂઆત થાય છે. અહીં સૂર્યવંશી, ચંદ્રવંશી, ભગવાન રામ, સતી, નંદી જેવા અનેક પાત્રોનું નિરૂપણ છે. સોમરસ (અમૃત) આ પુસ્તકનું મુખ્ય હાર્દ છે.

આ પુસ્તકમાં શોર્ય, પ્રવાસ, રોમાંચ, યુધ્ધ, પરિવાર, સમાજ, સંસ્કૃતિ જેવા બધા જ વિષયોનો સમાવેશ થાય છે. આ પુસ્તક કથાનાયક – શિવને જાણવા વાંચવું જ રહ્યું.